મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અકસ્માતમાં 13 લોકોના કરૂણ મૃત્યુ
Live TV
-
અવાર-નવાર અકસ્માતના કિસ્સા બનતા હોય છે જે આપણા રુવાડા ઉભા કરી દે છે. અને દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. અને ફરી એક અકસ્માતની સંખ્યા સામે આવી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક રોડ અકસ્માતમાં 13 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. આજે સવારે બસ અને ઓટો રિક્ષા સામ-સામે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 12 મહિલાઓ અને એક ઓટો રિક્ષા ચાલક હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બાદ આસપાસના ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યું હતું. અને ગ્રામજનોએ આરોપી બસ ચાલકને પકડી પાડવાની માગ કરી હતી. તો, પોલીસ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
