મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર જોખમમાં, સિંધિયા જૂથના 17 ધારાસભ્યએ આપ્યું રાજીનામું
Live TV
-
મોડી રાત્રે યોજાયેલી કેબિનેટની બેઠકમાં 17 મંત્રીઓએ મુખ્યમંત્રી કમલનાથને પોતાનું રાજીનામું સોંપ્યું
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ ઘેરાયા છે. છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકમાં, સોમવારે મોટો વળાંક આવ્યો. સિંધિયા જૂથના 6 મંત્રીઓ બેંગાલુરુ ગયા બાદ સરકાર પર આવેલા સંકટનું સમાધાન શોધવા માટે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કેબિનેટની બેઠક બોલાવી હતી. મોડી રાત્રે યોજાયેલી કેબિનેટની બેઠકમાં 17 મંત્રીઓએ મુખ્યમંત્રી કમલનાથને પોતાનું રાજીનામું સોંપ્યું છે. મંત્રીઓ બેંગાલુરુ ગયા છે. રાજીનામું આપનારા મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના 7 મંત્રીઓ છે. આ મંત્રીઓની સાથે 17 ધારાસભ્યો પણ બેંગાલુરુ ગયા છે. હવે કમલનાથ સરકાર પાસે પોતાની વિવેકબુદ્ધિ આધારિત નવી કેબિનેટનું વિસ્તરણ કરવાનો વિકલ્પ છે.
