મધ્ય અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિ ગંભીર બની
ઉત્તર ભારતમાં ઘણાં વિસ્તારમાં પુરની સ્થિતિ ગંભીર બની છે. હવામાન વિભાગે મધ્ય ભારત અને ઉત્તર ભારત વિભાગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બિહારના 12 જિલ્લામાં આવેલ પુરથી અત્યાર સુધીમાં 106 લોકોના મોત થયા છે. જ્યારે 80 લાખ, 85 હજારથી વધુ વસતી પ્રભાવિત છે. તેમજ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આસામ રાજ્યમાં પણ પુરનો પ્રકોપ યથાવત છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે મંગળવારે પૂર પ્રભાવિત ગ્વાલયારા જિલ્લાની મુલાકાત લીધી હતી. અને પુરથી થયેલ નુકસાનનું અવલકોન કર્યું હતું. મુખ્યમંત્રીએ પ્રભાવિત લોકો સાથે વાતચીત કરી હતી.
