'મન કી બાત' કાર્યક્રમમાં કેવી રીતે મોકલી શકાશે આપના પ્રતિભાવો
Live TV
-
આગામી 26 તારીખના રોજ પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમ માટે લોકોના પ્રતિભાવ મોકલવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. નાગરિકોના પ્રતિભાવોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'મન કી બાત' ના આગામી સંસ્કરણમાં અનુકરણ કરશે.
પીએમ મોદીએ ટ્વીટ કરી હેલ્પ લાઇન નંબર 1800 209 0920 જાહેર કર્યો છે. આ નંબર પર મિસ્ડ કોલ કરવાથી આપના પ્રતિભાવોને મોકલી શકાશે. આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ શરૂ કરાયા છે. નરેન્દ્ર મોદી એપ, માય જીઓવી અથવા તો www.narendramodi.in પર લોગ ઇન કરવાથી પણ આપ પોતાના વિચારો મોકલી શકો છો.
