મહાકુંભ રાષ્ટ્રપતિ મુર્મૂ આજે સંગમમાં લગાવશે ડૂબકી, CM યોગી તેમનું સ્વાગત કરશે
Live TV
-
આજે મહાકુંભ 2025નો 29મો દિવસ છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ સંગમમાં સ્નાન કરશે. ઉત્તર પ્રદેશનાં CM યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ આનંદીબહેન પટેલ તોમનું સ્વાગત કરશે. રાષ્ટ્રપતિ મહાકુંભમાં લગભગ 8 કલાક રોકાશે. સંગમમાં સ્નાન કર્યા પછી, તે હનુમાનજી અને અક્ષય વડના દર્શન કરશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.
સનાતન સંસ્કૃતિમાં, અક્ષયવતને અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ હિન્દુ ધર્મ માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે. તેનું મહત્વ પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભ વિસ્તારમાં લાટ હનુમાન મંદિરની સામે સ્થાપિત ડિજિટલ અનુભૂતિ કેન્દ્રની પણ મુલાકાત લેશે. ડિજિટલ મહાકુંભમાં, ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક વારસાને ટેકનોલોજી દ્વારા દર્શાવવામાં આવ્યો છે. સમુદ્ર મંથન ડિજિટલ અને ઓડિયો વિડિયો દ્વારા પણ જોઈ અને સાંભળી શકાય છે.
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ 1954માં કુંભમાં ડૂબકી લગાવી હતી. દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં ડૂબકી લગાવનારા દેશના બીજા રાષ્ટ્રપતિ બનશે. અઠવાડિયાનાં અંતનાં કારણે, શનિવારથી રવિવાર સુધી મહાકુંભમાં ભારે ભીડ હતી. સોમવારે પણ ભારે ભીડ હોય છે. આખું પ્રયાગરાજ જામ થઈ ગયું છે.
રવિવારે 1 કરોડ 57 લાખ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. 13 જાન્યુઆરીએ મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 43 કરોડ 57 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. મહાકુંભ 26 જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે. ત્યાં સુધીમાં આ આંકડો 50 કરોડ સુધી પહોંચી શકે છે. સોમવારે 10 લાખ કલ્પવાસીઓ ઉપરાંત, 36.19 લાખ ભક્તોએ પણ સંગમમાં ડૂબકી લગાવી હતી. કુલ 46.19 લાખ લોકોએ સ્નાન કર્યું છે.
