મહારાષ્ટ્રમાં સરકાર નહીં બનાવે ભાજપ
Live TV
-
શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું-મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ગડમથલનો હજુ અંત આવ્યો નથી. લાંબા સમયથી ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહીં બનાવે. આ પહેલા તેઓ રાજ્યપાલ ભગતસિંઘ કોશ્યારીને મળ્યા હતા. તેમના કહેવા પ્રમાણે શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે.
પાટિલે કહ્યું- ભાજપ અને શિવસેનાને જનાદેશ મળ્યો હતો જેથી સાથે મળીને કામ થઇ શકે પરંતુ શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. જો તેઓ કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવવા માગતા હોય તો અમારી તેમને શુભેચ્છા છે.
