મહારાષ્ટ્ર ટુરીઝમ બોર્ડ મહારાષ્ટ્ર રાજ્યને એક આરોગ્યપ્રદ સ્થળ તરીકે આગળ મૂકશે
Live TV
-
મહારાષ્ટ્ર ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસન ઉદ્યોગનો વ્યાપ વધારવાના આશયથી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસન વિભાગના નિયામક અને ડીરેકટોરેટ ડોક્ટર બી. એન.પાટીલ, નાયબ નિયામક પ્રશાંત સવાઈ અને પ્રવાસન અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના નાયબ નિયામક પ્રશાંત સવાઈ એ જણાવ્યું કે, મહારાષ્ટ્ર ટુરીઝમ બોર્ડ મહારાષ્ટ્ર રાજ્યને એક આરોગ્યપ્રદ સ્થળ તરીકે આગળ મુકવા માંગે છે, સાથે સાથે રાજ્યના દરિયા કિનારા, લેઝર, એડવેન્ચર, જંગલ અને ધાર્મિક સ્થળોને પણ પ્રવાસન સ્થળ તરીકે પ્રવાસીઓ માટે સવિશેષ સુવિધાઓથી સજ્જ કર્યા છે.
