માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરી
Live TV
-
સરકારે તમામ ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આ ઘટાડો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી અપાશે ઉપરાંત, હવે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 400 રૂપિયાની સબસિડી મળશે. હવે દિલ્હીમાં એલપીજીની કિંમત રૂ.1003 થી ઘટીને રૂ.903 થઇ ગઇ છે. અને ઉજ્જવલા લાભાર્થીઓ માટે દિલ્હીમાં એલપીજીની કિંમત પ્રતિ સિલિન્ડર 703 રૂપિયા થઈ ગઈ છે. દેશમાં ઘરેલું LPG ગેસ ગ્રાહકોની સંખ્યા 31 કરોડ છે, જેમાં 9 કરોડ 60 લાખ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારોનો સમાવેશ થાય છે. તમામ એલપીજી ગ્રાહકોને આ કપાતનો લાભ મળશે. અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે, સરકાર ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા મફત એલપીજી કનેક્શન આપશે. આનાથી ગરીબ પરિવારની મહિલાઓને ફાયદો થશે જેમની પાસે એલપીજી કનેક્શન નથી.
