મોદી સરકારના તમામ મંત્રાલયોને સમયબદ્ધ રીતે ખાલી પદો ભરવાનો નિર્દેશ
Live TV
-
કેન્દ્રની નોકરીઓને લઈને મોદી સરકારનો મોટો પ્લાન...તમામ મંત્રાલયોને સમયબદ્ધ રીતે ખાલી પદો ભરવાનો નિર્દેશ આપ્યો
નોકરીઓના વધુ અવસર સર્જવા માટે મોદી સરકારે મોટું પગલું ઉઠાવ્યું છે..કેન્દ્રમાં ખાલી પડેલા પદો પર ભરતી માટે સરકાર મોટું અભિયાન ચલાવશે...આ માટે કેન્દ્રના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ એટલે કે DoPTએ તમામ મંત્રાલયો અને વિભાગોને 21 જાન્યુઆરીએ ચિઠ્ઠી લખી છે..જેમાં કેન્દ્રને ખાલી પદો ભરવા માટે સમયબદ્ધ રીતે તરત પગલા ભરવા માટે કહેવામાં આવ્યું છે...
DoPTના પત્ર મુજબ નિવેશ અને વિકાસને લઈને બનેલી કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોના આધાર પર આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે..પ્રધાનમંત્રી આ કેબિનેટ સમિતિના અધ્યક્ષ છે, જે છેલ્લી 23 ડિસેમ્બરમાં થયેલી બેઠકમાં આ નિર્ણય થયો...જેમાં હાલ ખાલી રહેલી જગ્યાઓને ભરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ આપવામાં આવ્લયો છે...DoPTએ નિર્દેશ આપ્યા કે તમામ મંત્રાલય અને વિભાગ જલ્દીથી જલ્દી આ સંબંધમાં જરૂરી પગલા ઉઠાવે અને એક્શન ટેકન રિપોર્ટ, DoPTને મોકલે...આ નિર્દેશ કેન્દ્રમાં સીધી ભરતી વાળા પદો માટે આપવામાં આવ્યા છે..
