મોદી સરકારની મોટી જાહેરાતઃ બિનઅનામત વર્ગને 10% અનામત
Live TV
-
આજે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ જાહેરાત કરવામાં આવી છે.
સરકારની જાહેરાત પ્રમાણે આર્થિક રીતે પછાત હોય તેવા બિનઅનામતના વર્ગને 10ટકા અનામત આપવામાં આવશે. સરકાર દ્વારા નક્કી કરાયેલ આવક મર્યાદા પ્રમાણે આર્થિક રીતે પછાત હોય તેવા સવર્ણોને આ 10 ટકા અનામત આપવામાં આવશે.
સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓ માં પણ બિનઅનામત વર્ગને 10 ટકા અનામત આપવામાં આવશે. જેના પગલે આર્થિક રીતે સદ્ધર ના હોય તેવા વિદ્યાર્થીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગુજરાત સરકારે પણ આવકાર્યો છે.
