યસ બેન્કના થાપણદારોનાં નાણા સલામત: નાણામંત્રી
Live TV
-
નાણામંત્રી નિર્મળા સીતારમણે યસ બેન્કના થાપણદારોનાં નાણા સલામત હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રીઝર્વ બેન્ક દ્વારાઝડપથી તેના ઉકેલ માટે કાર્યવાહી થઇ રહી છે, અને આગામી 30 દિવસમાં પુનર્રચના યોજનાઅમલી બની જશે.
નાણામંત્રી નિર્મળા સીતારમણે યસ બેન્કના થાપણદારોનાં નાણા સલામત હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રીઝર્વ બેન્ક દ્વારાઝડપથી તેના ઉકેલ માટે કાર્યવાહી થઇ રહી છે, અને આગામી 30 દિવસમાં પુનર્રચના યોજનાઅમલી બની જશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી સીતારમણે કહ્યું કે, યશ બેન્કના કર્મચારીઓના પગાર તથા નોકરીને તથાથાપણદારોની જવાબદારીને કોઇ જ અસર નહીં થાય સરકાર અને રીઝર્વ બેન્ક તેની પર 2017થીનજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, યશ બેન્કના વ્યવસ્થાપન બોર્ડ દ્વારા ગેરરીતિજાણવા મળી હતી, અને 2018માં વ્યવસ્થાપક મંડળ બદલાતાં સુધારાઓ થયા છે. સુશ્રીસીતારમણે કહ્યું કે, યશ બેન્કની કામગીરીમાં જવાબદારોને અલગ તારવવામાં આવશે. આઉપરાંત અનિલ અંબાણી જૂથ, એસ્સેલ, DHFC, ILFS, વોડાફોન જેવી કંપનીઓને ધિરાણ અપાતાં આ અસર થઇછે.
દરમિયાન રીઝર્વ બેન્કે જણાવ્યું છે કે, યસ બેન્કમાંમૂડીરોકાણ માટે સ્ટેટ બેન્કે તૈયારી દર્શાવી છે. યશ બેન્ક પુર્નરચના યોજના હેઠળ બેન્કે49 ટકા મૂડી મેળવવી પડે, પરંતુ ત્રણ વર્ષ સુધી મૂડી 26 ટકાથી નીચે ઘટાડી ન શકાય
