જનઔષધિ દિન નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી લોકો સાથે કર્યો સંવાદ
Live TV
-
આજે જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનઔષધિ પરિયોજના કેન્દ્રો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. દેશભરમાં સાતમી માર્ચે જનઔષધિ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાંઆવી છે.
આજે જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનઔષધિ પરિયોજના કેન્દ્રો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. દેશભરમાં સાતમી માર્ચે જનઔષધિ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાંઆવી છે.
પ્રધાનમંત્રી આ નિમિત્તે કેટલાંક લાભાર્થીઓ અને કેન્દ્ર સંચાલકો સાથેસંવાદ કરશે. દૂરદર્શન દ્વારા પ્રધાનમંત્રીનો સંદેશ પ્રસારીત કરાશે અને તે તમામજનૌષધિ કેન્દ્રો દ્વારા જાહેર પ્રસારીત થશે કેટલાક કેન્દ્રો પર ડોક્ટરો, મીડીયા, ફાર્માસીસ્ટ અને લાભાર્થીઓ સાથે પરિસંવાદ યોજાયો છે. દેશમાં 700 જિલ્લાઓમાં 6 હજાર 200 જનઔષધિકેન્દ્ર દ્વારા નાગરિકોને દવાઓ પૂરી પાડતી આ સૌથી મોટી શૃંખલા છે.
ચાલુ વર્ષે 390કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. અને 2200 કરોડ રૂપિયાની બચત થઇ છે. આ ઉપરાંત લોકોને સ્વરોજગારી મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને ગુણવત્તાયુક્ત દવાઓમળી રહે તે માટે આ જનઔષધિ મેડીકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા.
જનઔષધિ દિવસ નિમિત્તે કેન્દ્રીય રસાયણ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, જેનરિક દવાઓને સારૂં પ્રોત્સાહન મળ્યુંછે, અને છેલ્લાં પાંચ વર્ષમાં તેનું પ્રમાણ 2 ટકાથી વધીને આઠ ટકા થયું છે.
