યુગાન્ડા બાદ મોઝામ્બિકના પ્રવાસે પહોંચ્યા વિદેશ મંત્રી એસ.જયશંકર
Live TV
-
વિદેશમંત્રી ડો.એસજયશંકરની ત્રણ દિવસીય મોઝામ્બિક યાત્રા આજથી શરૂ થઈ રહી છે. યાત્રા દરમિયાન વિદેશમંત્રી મોઝામ્બિકની શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. અને સાથે મોઝામ્બિકના પોતાના સમકક્ષ વેરોનિકા મકામો સાથે સંયુક્ત આયોગની બેઠકના પાંચમા સત્રની સહ-અધ્યક્ષતા કરશે. અગાઉ વિદેશમંત્રીએ યુગાન્ડાની રાજધાની કંપાલામાં ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી હતી. ભારતીય સમુદાયના લોકોના ઉત્સાહને જોઈને ડો.એસ.જયશંકરે ભારત-યુગાન્ડા દ્વિપક્ષીય સંબંધોમાં ભારતીય સમુદાયના યોગદાનની સરાહના કરી. તેમણે કહ્યું કે ભારત-યુગાન્ડા સંબંધોમાં ભારતીય સમુદાયના લોકોનું યોગદાન આપણને ગૌરવ અપાવે છે. વિદેશમંત્રીએ પોતાની ત્રણ દિવસીય થયેલ વાતચીત રજૂ કરી તેમજ કંપાલામાં સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત કરી અને શાંતિ, સ્વાસ્થ્ય અને સદ્ભાવ માટે પ્રાર્થના કરી હતી.
