રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 174 કરોડ 64 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
Live TV
-
દેશભરમાંથી કોરોનાના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.કેન્દ્રીય આરોગ્યમંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 25 હજાર 920 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 66 હજાર 256 દર્દીઓ સાજા થયાં છે. તો 492 લોકોના મૃત્યુ થયાં છે. કેરળમાં સૌથી વધુ 8 હજાર 655 કોરોનાના કેસ નોંધાયા છે. તો આ તરફ દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 174 કરોડ 64 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તો, બીજી તરફ કોરોના સંક્રમણ ઘટતા વિવિધ રાજ્યોમાં શાળા, કોલેજો તબક્કાવાર ખુલી રહ્યા છે.
