રાજધાની દિલ્હીમાં બનેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉદઘાટન કરશે
Live TV
-
આ સ્મારકમાં ચાર વૃતઆકાર પરિસર હશે અને એક ઊંચો સ્મૃતિ સ્તંભ હશે, જેની સપાટી પર અખંડ જ્યોત રહેશે.
દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર શહીદોને સન્માન આપવા માટે રાજધાની દિલ્હીમાં બનેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉદઘાટન કરશે. આ સ્મારકમાં ચાર વૃતઆકાર પરિસર હશે અને એક ઊંચો સ્મૃતિ સ્તંભ હશે, જેની સપાટી પર અખંડ જ્યોત રહેશે. પીએમ મોદી ઈન્ડિયા ગેટ પરિસરમાં પથ્થરથી બનેલ સ્તંભની નીચે બનેલ જ્યોતિને પ્રજવલિત કરી 40 એકરમાં ફેલાયેલા યુદ્ધ સ્મારકને ,રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સ્મારક આઝાદી બાદથી વિવિધ યુદ્ધો અને ઓપરેશનમાં શહિદ થયેલ 25 હજાર 492થી વધુ સૈનિકોના સમ્માનમાં બનાવવામાં આવ્યું છે.
