રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 5 જવાનો શહીદ
Live TV
-
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ હતી.આ અથડામણ દરમિયાન સેનાના 2 જવાનો શહીદ થયા જયારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 જવાનો શહીદ થયા છે. DGPના જણાવ્યા અનુસાર પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદી હોવાની સૂચના મળતા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. સુરક્ષા દળો શંકાસ્પદ સ્થાને પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. હજુ પણ આ વિસ્તારમાં 2થી3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. આતંકવાદીઓની હલચલના કારણે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.
