રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુન:રચના ખરડો તેમજ આરક્ષણ ખરડો પસાર
Live TV
-
ભારતના બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કશ્મીર પુનઃગર્ઠન બિલ 2019 રજૂ કર્યું હતું....આ ઉપરાંત જમ્મુ અને કશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો સંકલ્પ પણ રજૂ કર્યો હતો....જો કે વિપક્ષે આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો....તો કાયદા મંત્રાલયે અનુચ્છેદ 370 હટાવવા અંગે જાહેરનામું બહાર પાડી દીધું છે...ભારતના બંધારણની તમામ જોગવાઈઓ હવે જમ્મુ કશ્મીરમાં લાગુ પડશે....તો જમ્મુ કશ્મીર અને લદાખને અલગ કરી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે...જમ્મુ કશ્મીરમાં વિધાનસભા અને લદાખ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે....
