રાજ્યસભા અને લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા
Live TV
-
18મી લોકસભાનો આજે 5મો દિવસ છે . આજે રાજ્યસભા અને લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. રાજ્યસભામાં ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદી ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ચર્ચા શરૂ કરશે. તો લોકસભામાં અનુરાગ સિંહ ઠાકુર આ ચર્ચા શરૂ કરશે.
તો રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે થયેલી ચર્ચાનો જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 જૂલાઇના રોજ લોકસભામાં તેમજ 3 જૂલાઇના રોજ રાજ્યસભામાં આપી શકે છે. લોકસભાનું 23 જૂનથી શરૂ થયેલું સત્ર 3 જૂલાઈ સુધી ચાલશે. રાજ્યભાનું સત્ર 27 જૂનથી શરૂ થયું હતું. તે પણ 3 જુલાઈ સુધી ચાલશે.
