રામ મંદિરના નિર્માણ માટે ધાર્મિક સંગઠનો દ્વારા અનુદાન એકત્રિત કરવાનો પ્રયાસ હાથ ધરાયો
Live TV
-
હુકુમ બાદ રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. અને અનુદાન એકત્રિત કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે..
અયોધ્યામાં આકાર પામી રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કેટલાંક ધાર્મિક સંગઠનો દ્વારા અનુદાન એકત્રિત કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે.. જેના ઉપક્રમે દ્વારકાના હોમગાર્ડ ચોકમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું કાર્યાલય બનાવાયું છે... જેમાં દ્વારકા તાલુકાના પ્રત્યેક 42 ગામમાં રામભક્તોની સમિતિ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને આ સમિતિઓ તા. 15 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ગામના પ્રત્યેક પરિવારો સુધી પહોંચી મંદિર નિર્માણ માટે અનુદાન સહાય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે...
