રાષ્ટ્રગીતના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ
Live TV
-
રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર તેમના કરેલા કામ યાદ કરવા થી વધુ સારી રીતે તેમની આત્માને શુભેછાઓ પાઠવવાની રીત બીજી કોઈ ન હોઈ શકે. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મેં 1861ના રોજ કલકત્તામાં થયો હતો. અને આજે તેમની 160મી જન્મજયંતિ છે. આ દિવસે સ્કૂલ, કોલેજમાં વગેરે જગ્યાએ કવિતા અને નાટકોની પ્રતિયોગિતા યોજતા હોય છે. તેમને તેમના જીવનની પ્રથમ વાર્તા 'ક્ષુધિત પાષાણ' અમદાવાદમાં લખી હતી. ટાગોરે ભારતના સર્વશ્રેષ્ઠ ક્રાંતિકારીઓ માંથી એક છે. બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાં તેમનું યોગદાન નોંધનીય છે.
તેમના દ્વારા રચિત સાહિત્ય કૃતિઓ વૈશ્વિક સ્તરે ખ્યાતનામ હતી. ટાગોરની ગોરા, ગીતાંજલિ, રક્ત કરબી, ઘર બૈરે, શેશેર કોબીતા, રાજા ઓ રાણી, તાશેર દેશ, દેના પાઓણા, શાંચાયતા એમની કેટલીક શ્રેષ્ઠ કૃતિ છે, જે વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેમણે 2 બે રાષ્ટ્રોના રાષ્ટ્રગીતની રચના કરી છે. "જન ગણ મન" ભારત માટે અને અમર શોનર બાંગ્લાદેશ આજના દિવસે ખુબ જ કૃતિને બાળકો સ્કૂલ અને કોલેજોમાં ભજવતા હોય છે.
અને આ કોરોનાની સ્થિતિમાં તેમનું લખેલું એક વાક્ય યાદ આવે છે કે, આઇયે હમ યહ પ્રાર્થના ન કરે કે હમારે ઉપર ખતરે ન આયે, બલ્કિ યહ પ્રાર્થના કરે કી હમ ઉસકા નીડરતા સે સામના કર સકે. તેમના દરેક લખાણમાં એક સકારત્મકતા હોય છે તેમજ કોઈના મનમાં ઉતારી જવાની ક્ષમતા કોઈ છે. એટલે જ તેઓ આજે પણ લોકોના મનમાં જીવંત છે.
