Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઝારખંડના ઉલીહાટુમાં બિરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પી

Live TV

X
  • જનજાતીય ગૌરવ દિવસ જનજાતીય સમુદાય માટે ખૂબ જ મહત્વનો દિવસ છે.

    આજે જનજાતીય ગૌરવ દિવસ છે, ભગવાન બિરસા મુંડાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ખાસ કરીને જનજાતીય સમુદાય માટે આ ખૂબ જ મહત્વનો દિવસ છે. આદિવાસીઓના જીવનમાં આર્થિક અને સામાજિક ઉત્થાન માટે બિરસા મુંડાનું અમુલ્ય યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઝારખંડના ઉલીહાટુમાં બિરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પી હતી, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશથી દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન બિરસા મુંડા ફક્ત આપની રાજનૈતિક આઝાદીના મહાનાયક જ નહીં પણ તે આધ્યામિક, સાંસ્કૃતિક ઉર્જાના પણ સંવાહક હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાં શોર્યની સાથે સાથે પ્રકૃતિ પ્રેમનો પણ સમાવેશ થાય છે.

    કેન્દ્ર સરકારે દેશના ઈતિહાસ અને સંસ્કૃતિમાં જનજાતિય સમુદાયના યોગદાનને જોતાં 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનાથી સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય ગરિમાના સંરક્ષણ માટે ભવિષ્યની પેઢીઓને પ્રેરણા મળશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે સાંજે ભોપાલથી વર્ચુઅલ માધ્યમથી બે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ આવતીકાલે ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં મહિલા સ્વ-સહાયતા સમૂહ સંમેલનમાં પણ ભાગ લેશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply