કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે સીઓપી-27માં ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપ્યું
Live TV
-
શું છે COP27 ?
ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ અથવા UNFCCCના પક્ષકારોની કોન્ફરન્સ, જેને સામાન્ય રીતે COP-27 તરીકે ઓળખવામાં આવે છે, એ 27મી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ છે. અને તે 6 નવેમ્બરથી 18 નવેમ્બર 2022 સુધી શાર્મમાં યોજાઈ રહી છે. 90થી વધુ રાજ્યના વડાઓ અને 190 દેશોના અંદાજિત 35,000 પ્રતિનિધિઓ અથવા પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરી રહ્યા છે. આજે સીઓપી-27માં તેમણેરાષ્ટ્રીય નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ''સૌપ્રથમ હું આપણાં યજમાનો અને COP27ના પ્રેસિડન્સી, આરબ રિપબ્લિક ઑફ ઇજિપ્તનો તેમના જબરદસ્ત પ્રયાસો અને આતિથ્ય-સત્કાર બદલ આભાર વ્યક્ત કરું છું.
અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં વર્ષ 2070 સુધીમાં નેટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારતના લક્ષ્યાંકની જાહેરાત કરી હતી. એક વર્ષની અંદર, ભારતે તેની લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વૃદ્ધિની વ્યૂહરચના રજૂ કરી છે, જે ચાવીરૂપ આર્થિક ક્ષેત્રોમાં ઓછાં કાર્બન સંક્રાંતિના માર્ગો સૂચવે છે. વર્ષ 2030નાં આબોહવાનાં લક્ષ્યાંકોમાં વધેલી મહત્ત્વાકાંક્ષાનાં આહ્વાનને પ્રતિસાદ આપતાં ભારતે ઑગસ્ટ, 2022માં તેનાં રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત પ્રદાનમાં સુધારો કર્યો હતો. અમે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત તરીકે પુનઃપ્રાપ્ય ઊર્જા, ઇ-મોબિલિટી, ઇથેનોલ મિશ્રિત ઇંધણો અને ગ્રીન હાઇડ્રોજનમાં દૂરગામી નવી પહેલ હાથ ધરી છે.
અત્યાર સુધીમાં જગતનાં સંચિત ઉત્સર્જનોમાં અમારું પ્રદાન ૪ ટકા કરતાં પણ ઓછું છે અને અમારું વાર્ષિક માથાદીઠ ઉત્સર્જન વૈશ્વિક સરેરાશના એક તૃતીયાંશ જેટલું છે એ વાસ્તવિકતા હોવા છતાં ૧.૩ અબજ લોકોની વસતી ધરાવતું ભારત આ કઠિન પ્રયાસ કરી રહ્યું છે.
વિશ્વને અવિચારી અને વિનાશક વપરાશથી વિવેકી અને હેતુપૂર્વકના ઉપયોગ તરફ ઉદાહરણીય રીતે ખસવાની તાત્કાલિક જરૂર છે. આપણે આ ગ્રહ પૃથ્વીના ટ્રસ્ટીઓ છીએ. આપણે સંસાધનોના ઉપયોગને મહત્તમ કરે અને કચરો ઘટાડે એવી ટકાઉ જીવનશૈલી દ્વારા તેનું પોષણ કરવું જોઈએ.
અમે આશા રાખીએ છીએ કે જળવાયુ પરિવર્તન સામેની લડાઈ વિશ્વને એક પરિવાર તરીકે એક કરશે."