રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગાજીનગર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023નુ કર્યું ઉદ્દઘાટન
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આસામના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિએ આજે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023નું ઉદઘાટન કર્યું હતું. ગજ પરિયોજનાના 30 વર્ષ પુરા થયા પ્રસંગે આ ઉત્સવનું આયોજન થયું છે. રાષ્ટ્રપતિ મૂર્મુએ જણાવ્યું હતું કે પ્રોજેક્ય એલિફન્ટનો હેતુ હાથીની સુરક્ષા છે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા તેમજ કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ આસામ મુલાકાત દરમિયાન આવતીકાલે ગુવાહાટી હાઇકોર્ટના પ્લેટિનમ જયંતિ સમારંભમાં પણ હાજરી આપશે. તેઓ કંચન જંગા પર્વતારોહણ અભિયાન 2023ને લીલી ઝંડી બતાવીને રવાના પણ કરશે. આસામ પ્રવાસ સંપન્ન કરતાં પહેલાં સુખોઇ વિમાનમાં ઉડાન પણ ભરશે.
