રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત, રામલલ્લાની કરી પૂજા- અર્ચના
Live TV
-
રાષ્ટ્રપતિએ રામજન્મભૂમિ મંદિરમાં આયોજિત શ્રીરામચંદ્ર યંત્રના સ્થાપન કાર્યક્રમમાં ભાગ લીધો હતો..
રામનગરી અયોધ્યા એક વખત ફરી ઐતિહાસિક અને આધ્યાત્મિક ઉત્સવની સાક્ષી બનવા જઇ રહી છે. અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં "શ્રી રામ યંત્ર"ની વિધિવત સ્થાપના થઈ રહી છે.. આ સ્થાપના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમ ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવા વર્ષના શુભ પ્રસંગે યોજાઈ રહ્યો છે.
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવમાં દેશભરમાંથી આશરે 7 હજાર જેટલા આમંત્રિત મહેમાનો, તેજસ્વી સંતો અને હજારો ભક્તો સહભાગી પણ ભાગ લઈ રહ્યા છે. શ્રી રામ યંત્રની સ્થાપના માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે અયોધ્યાની સાંસ્કૃતિક વિરાસત અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક છે. આ ઐતિહાસિક ક્ષણ રામ ભક્તો માટે અત્યંત હર્ષ અને ગૌરવનો વિષય છે, જે રામનગરીના ઈતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરે છે. સમગ્ર અયોધ્યા નગરી હાલ જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠી છે.
