રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2015થી 2018 માટેના ગાંધી જયંતી પુરસ્કાર એનાયત કર્યા
Live TV
-
આ એવોર્ડ શાંતિ અને અહિંસા માટે નિસ્વાર્થપણે કામ કરનારી સંસ્થાઓ તેમજ વ્યક્તિને આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 2015થી 2018 માટેના ગાંધી જયંતી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ એવોર્ડ શાંતિ અને અહિંસા માટે નિસ્વાર્થપણે કામ કરનારી સંસ્થાઓ તેમજ વ્યક્તિને આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ 2015 માટે કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્રને 2016 માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલને સંયુક્તપણે, 2017 માટે એકલ અભિયાન ટ્રસ્ટને જ્યારે 2018 માટેનો પુરસ્કાર ડબલ્યૂ એચઓના રક્તપીત નાબૂદી માટેના ગુડવીલ એમ્બેસેડર યોહેઇ સસાકાવાને એનાયત થયો હતો. એવોર્ડરૂપે રૂપિયા એક કરોડની રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આપ્યા હતા.
