રાષ્ટ્રીય ખેલ દિવસ નિમીત્તે પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અભિયાનની કરી શરૂઆત
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ સ્વસ્થ નાગરિક , સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ.
રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ,ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતીય ખેલાડી ,મેજર ધ્યાનચંદને નમન કર્યું હતું. લોકોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, આ એક જનઆંદોલન બનવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે યુવા ખેલાડીઓને પણ અભિનંદન પાઠવવાનો દિવસ છે. તેઓ વૈશ્વિક ફલક ઉપર આપણાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત પાંચ વર્ષમાં રમત ગમત ક્ષેત્રે જે પણ પગલાં ભરવામાં આવ્યા છે. ,તેનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે.
