રાષ્ટ્રીય સમર સ્મારકની આજે ત્રીજી વર્ષગાંઠ, રક્ષા સચિવ અજયકુમારે વીર શહિદોને શ્રધ્ધાંજલી આપી
Live TV
-
રાષ્ટ્રીય સમર સ્મારક આજે ત્રીજી વર્ષગાઠ ઉજવી રહ્યું છે. રક્ષા સચિવ અજયકુમાર, એરફોર્સ ચીફ એરચીફ માર્શલ વી.આર.ચૌધરી અને નેવી ચીફ એડમીરલ આર હરીકુમારે વીર શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. સાંજના સમાપન સમારોહમાં શહિદોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન પરિજન સૈનિકના સર્વોચ્ચ બલિદાનને યાદ કરતા અમર ચક્ર પર માળા અર્પણ કરવામાં આવશે. 25 ફેબ્રુઆરી 2019ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને એન.ડબલ્યું. એન સમર્પિત કર્યું હતું. આ આઝાદી બાદ વીર સૈનિકો એ કરેલા બલિદાનનું પ્રમાણ છે. આ સ્મારકના ઉદધાટન બાદ રાષ્ટ્રીય દિવસ પર ઉજવાતા સમારોહ સહિત તમામ શ્રધ્ધાંજલી કાર્યક્રમો માત્ર એન.ડબલ્યું. એન. માં આયોજીત કરવામાં આવ્યા હતા.
