રાહુલ ગાંધીએ જનાદેશના નિર્ણયને સ્વીકારતા ભાજપ તેમજ પીએમ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી
Live TV
-
ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં રાહુલ ગાઁધીએ જણાવ્યું હતું કે, જનતા માલિક છે, અને જનતાએ તેમનો નિર્ણય આપ્યો છે. રાહુલ ગાંધીએ જનાદેશના નિર્ણયને સ્વીકારતા ભાજપ તેમજ પીએમ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ચૂંટણીમાં દિલ લગાવીને કાર્ય કરનારા તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.આ સાથે તેમણે અમેઠી લોકસભા બેઠક ઉપર પોતાની હાર સ્વીકારતા સ્મૃતિ ઈરાનીને પણ જીતની શુભેચ્છાઓ પાઠવી હતી
