લૉકડાઉને હજારો જિંદગીઓ બચાવી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોવિડ -19 મહામારીને કારણે થયેલા લોકડાઉનના સકારાત્મક પરિણામો મળ્યા છે, કેમ કે દેશ છેલ્લા દોઢ મહિનામાં હજારો લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા છીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. દેશમાં કોવિડ 19ની સ્થિતિની સમીક્ષા માટે આ બેઠક યોજાયેલ. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીની આ ચોથી વીડિયો કોન્ફરન્સ છે. આ બેઠકમાં મહામારી સામે લડવાના ઉપાય વિશે સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારત અત્યાર સુધીમાં 2 લૉકડાઉન જોઇ ચૂક્યું છે અને આ બંન્ન અલગ-અલગ પ્રકારના રહ્યા છે. હવે આપણે આગળના વિશે વિચારવાની જરૂર છે.
