લોકતાંત્રીક શાસનના સ્થાને કોંગ્રેસે પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું : ભાજપ
Live TV
-
કોંગ્રેસ પાર્ટીએ દેશમાં ફરી એક વખત ઘૃણાની રાજનીતી શરૂ કરી છે : અમિત શાહ
ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, તે લોકતાંત્રીક શાસનના સ્થાને પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં લાગી છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી સંવિધાન બચાવી રહ્યા છે કે, સામ્રાજ્ય. કારણ કે તેમની પાર્ટીએ ઘણી વખત ન્યાયપાલિકા, સેના, ચૂંટણીપંચ, સીએજી અને સંસદ જેવી સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના સંવિધાન બચાવો અભિયાનને હાસ્યાસ્પદ બનાવતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ દેશમાં ફરી એક વખત ઘૃણાની રાજનીતી શરૂ કરી છે. રાહુલ દ્વારા સતત કરવામાં આવી રહેલો વિરોધ આજે દેશ વિરોધનું રૂપ લઈ રહ્યો છે.
