લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપાનું અભિયાન
Live TV
-
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભારત કે મન કી બાત મોદી કે સાથ અભિયાનની શરૂઆત કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા અને પારદર્શિતાના કારણે દેશની સ્થિતિ બદલાઈ છે. તેમની નીતિઓના કારણે દેશના મજબૂત વિકાસનો પાયો નંખાયો છે. આ જ કડીમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના અભિયાનમાં લોકો પોતાના સૂચનો આપી શકશે. સાથે આપની આશા અને અપેક્ષાને પરિપૂર્ણ કરવા માટે પક્ષ, સંકલ્પ પત્ર તૈયાર કરવા જઈ રહ્યો છે. જેમાં સુશાસન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઉપરાંત વિવિધ વિષયોના મહાનુભાવોના સંબોધન હશે. આ અભિયાન એક મહિના સુધી ચાલશે
