વધુ કિંમતે માસ્કનું વેચાણ કરનાર સામે કડક પગલા: કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી
Live TV
-
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધનને વધુ કિંમતે માસ્કનું વેચાણ કરનાર સામે કડક પગલા લેવાનું જણાવ્યું છે. કોરોના વાયરસના કારણે સામાન્ય ભાવે મળતા માસ્કોનું ઘણા દવાઓ વાળા ઉંચી કિંમતે વેચાણ કરે છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધનને વધુ કિંમતે માસ્કનું વેચાણ કરનાર સામે કડક પગલા લેવાનું જણાવ્યું છે. કોરોના વાયરસના કારણે સામાન્ય ભાવે મળતા માસ્કોનું ઘણા દવાઓ વાળા ઉંચી કિંમતે વેચાણ કરે છે. ગઇકાલે તેમ જણાવ્યું હતું. યોજવામાં આવેલી એક બેઠકમાં ડોકટર હર્ષ વર્ધને આ કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી અને રાજયોને યોગ્ય સુવિધા સાથેની આઇસોલેશન વોર્ડ અને પરીક્ષણ પ્રયોગશાળાઓ તૈયાર રાખવા જણાવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં ૩૧ કેસો સામે આવ્યા છે, જયારે ર૯ હજાર લોકોને તબીબી નજર હેઠળ રખાયા છે. ડોકટર હર્ષ વર્ધને દરેક રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મુખ્ય સચિવ કેન્દ્રિય મંત્રીઓ અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વીડીયો કોન્ફરન્સથી બેઠક યોજી અને કોરોના વાયરસ અંગે લોકોમાં સાવધાની અંગે જાગૃતતા આવે તે ઉપર ભાર મુકયો. તેમણે રાજયોના પ્રતિનિધિઓને ભ્રામક ધારણાઓ દુર કરવા પણ જણાવ્યું હતું.
