વસ્તી ગણતરી 2027: લદ્દાખ, જમ્મુ-કાશ્મીર સહિતના હિમવર્ષાગ્રસ્ત વિસ્તારો માટે બીજા તબક્કાની નોટિફિકેશન જાહેર
Live TV
-
વસ્તી ગણતરી 2027: લદ્દાખ, જમ્મુ-કાશ્મીર સહિતના હિમવર્ષાગ્રસ્ત વિસ્તારો માટે બીજા તબક્કાની નોટિફિકેશન જાહેર
દેશમાં આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયાને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા માટે દેશના હિમવર્ષાગ્રસ્ત અને પહાડી વિસ્તારો જેવા કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે સત્તાવાર અધિસૂચના જાહેર કરી દીધી છે.
પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રોમાં સમયપત્રક વહેલું રાખવામાં આવ્યું છે.
વસ્તી ગણતરીનું મહત્વપૂર્ણ સમયપત્રક :
આ ચોક્કસ પહાડી અને હિમવર્ષાગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરાયેલ કાર્યક્રમ નીચે મુજબ છે:
સેલ્ફ-એન્યુમેરેશન (Self-Enumeration): 17 થી 31 ઓગસ્ટ, 2026 (નાગરિકો જાતે જ ડિજિટલ માધ્યમથી માહિતી ભરી શકશે).
વસ્તી ગણતરી કામગીરી (Enumeration):1થી 30 સપ્ટેમ્બર, 2026.
રિવિઝન રાઉન્ડ (Revision Round): 1 થી 5 ઓક્ટોબર, 2026.
સંદર્ભ તારીખ (Reference Date): 1 ઓક્ટોબર, 2026 (રાત્રે 12:00 વાગ્યે).
પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો હેતુ
સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને અસરકારક બનાવવાનો છે. સમયસર ડેટા એકત્રિત કરવાથી દેશના વિકાસ અને નીતિ ઘડતર માટે સચોટ આંકડાકીય માહિતી ઉપલબ્ધ થઈ શકશે.
