વારાણસીમાં આજે કાશી તેલુગૂ સંગમમ કાર્યક્રમ, વર્ચ્યુઅલી જોડાશે પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે સાત વાગ્યે કાશી આવેલા તીર્થયાત્રીઓનું વર્ચ્યુઅલ માધ્યમથી સ્વાગત કરશે
વારાણસીમાં કાશી તમિલ સંગમમ પછી કાશી તેલુગૂ સંગમમનું આયોજન થઈ રહ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે કાશી આવેલા તીર્થયાત્રીઓનું વર્ચ્યુઅલ માધ્યમથી સ્વાગત કરશે.માનસરોવર ઘાટ પર સાંજે છ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જેની જાણકારી શુક્રવારના રોજ રાજ્યસભા સાંસદ જી. વી. એલ. નરસિમ્હાએ આપી હતી.પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે પીએમના સંબોધનનો તેલુગૂમાં અનુવાદ કરવામાં આવશે.પ્રધાનમંત્રીના સંબોધન પહેલા વિદ્વાન આચાર્યો ચારેય વેદોના પાઠ તેમજ ઋદ્વી સ્તોત્રના પાઠ કરશે.
