આવતીકાલે 'મન કી બાત' કાર્યક્રમના 100માં એપિસોડનું થશે પ્રસારણ
Live TV
-
ઓક્ટોબર 2014થી મન કી બાત કાર્યક્રમની શરૂઆત થઈ હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ કરશે. મન કી બાત કાર્યક્રમને આવતીકાલે 100 એપિસોડ પૂરા થઈ રહ્યાં છે.આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક ઉપરાંત ન્યૂઝ ઓન એર અને મોબાઈલ એપ્લિકેશન પર મન કી બાત સાંભળી શકાશે.હિન્દી પ્રસારણ બાદ સ્થાનિક ભાષામાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરાશે.ઓક્ટોબર 2014થી મન કી બાત કાર્યક્રમની શરૂઆત થઈ હતી..દર મહિનાના અંતિમ રવિવારે પ્રધાનમંત્રી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે. કાર્યક્રમ માટે શ્રોતાઓ પાસેથી અલગ અલગ મુદ્દાઓ પર વિચારો અને સૂચનો પણ માગવામાં આવે છે.
