વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદને લઇને આજે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી
Live TV
-
ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદને લઇને આજે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થશે.
ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદને લઇને આજે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે 24 ઑગષ્ટના રોજ બંને પક્ષોની સુનાવણી કરી હતી. કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી પરિસરનો ASI સરવે કરવામાં આવ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટ જ્ઞાનવાપી વિવાદ સાથે સંબંધિત પાંચ અરજીઓ પર એક સાથે સુનાવણી કરી રહી છે. કોર્ટ નક્કી કરશે કે આ કેસમાં વધુ સુનાવણી કરવી કે ચુકાદો આપવો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ચુકાદાની તારીખ 28 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ પ્રકાશ પડિયાની ટ્રાન્સફર બાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ પ્રિતીંકર દિવાકરની બેન્ચ કરી રહી છે.
