વિદેશમંત્રી એસ જયશંકર ઇરાનના પ્રવાસે, રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે કરી મુલાકાત
Live TV
-
ઈરાન યાત્રા બાદ વિદેશમંત્રી એસ જયશંકર મજબૂત ભાગીદારી બનાવવાના ઉદેશ્ય સાથે મસ્કત પહોંચી ગયા છે. ઈરાનના વિદેશ મામલાના મંત્રી યુસુફ બિન અલાવી બિન અબ્દુલાએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.ભારત- ઈરાને રાજ્યપ્રાયોજિત આતંકવાદથી ઉત્પન્ન થયેલા ખતરા પર ચિંતા વ્યક્ત કરી છે. બન્ને દેશોએ આતંકીના સુરક્ષિત ઠેકાણાઓ પર તત્કાલ ખતમ કરવાનું આહવાના કર્યું છે. આ અગાઉ તહેરાનની બે દિવસીય યાત્રા પર ગયેલા વિદેશમંત્રી એસ જયશંકરે રાષ્ટ્રપતિ હસન રુહાની અને શિર્ષ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.અને તેમને સંયુક્ત આયોગના પરિણામ તથા દ્વીપક્ષીય સંબંધોથી અવગત કરાવ્યા. બન્ને દેશ વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પરિયોજનામાં વેગ લાગવવા સહમત થયા.
