વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે, 14 દિવસ રહેવુ પડશે કોરન્ટાઈન
Live TV
-
દેશભરના અલગ અલગ ભાગમાં ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, યાત્રિઓને ઘરે પહોંચાડવા માટે રેલવેએ 62 ટ્રેન દોડાવી છે, ગૃહ મંત્રાલયના સચિવે આપી માહિતી
ગૃહ મંત્રાલયના સચિવે જણાવ્યું કે, દેશભરના અલગ અલગ ભાગમાં ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, યાત્રિઓને ઘરે પહોંચાડવા માટે રેલવેએ 62 ટ્રેન દોડાવી છે. લગભગ 72 હજાર યાત્રિઓને સુવિધા મળી છે. મંગળવારે વધુ 13 ટ્રેન દોડાવવામાં આવી..
ગૃહ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દા
વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાની કામગીરી 7મી મેથી શરૂ કરાશે
લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે
દુકાનો પર એકસાથે પાંચ લોકોએ એકઠા ન થવું, દરેકે ફેસ માસ્ક લગાવવું ફરજીયાત
સાર્વજનિક સ્થળો પર થૂંકવું દંડપાત્ર ગુનો
અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે
દારૂ, પાન-મસાલા વગેરેનું સેવન સાર્વજનિક સ્થળો પર કરવું પ્રતિબંધ છે.કાર્ય સ્થળના આ નિયમોનું પાલન કરવું પડશે
તમામને માસ્ક પહેરવું ફરજીયાત છે
કાર્યાલટ હંમેશા સેનેટાઈઝ કરવું પડશે
હેન્ડવોશની સુવિધા ઉપલબ્ધ કરવું જરૂરી છે
કામની શિફ્ટ વચ્ચે અંતર હોવું જરૂરી
તમામને અલગ અલગ લંચ બ્રેક આપવો જોઈએ
તમામ કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે.
