વિદેશ મંત્રી એસ. જયશંકરની ચીન યાત્રા
Live TV
-
વિદેશ મંત્રી એસ. જયશંકરની ચીન યાત્રા દરમિયાન સોમવારે બંને દેશો વચ્ચે ચાર કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ અવસરે એસ. જયશંકરે કહ્યું કે, એવા સમયે જ્યારે આખી દુનિયા અનિશ્ચિતતાની પરિસ્થિતિનો સામનો કરી રહી છે, ત્યારે ભારત-ચીન સંબંધો સ્થિરતાનું પ્રતીક હોવું જોઈએ. ચીનના વિદેશ મંત્રી વાંગ કિશાન સાથે મંત્રણા.ચાર એમ.ઓ.યૂ. પર હસ્તાક્ષર.સાંસ્કૃતિક વિનિમયને ઉત્તેજન, પરંપરાગત ઔષધિઓ, રમતગમત અને સંગ્રહાલય પ્રબંધન ક્ષેત્રે સહકાર વધારાશે.
વિદેશ મંત્રી એસ. જયશંકર ત્રણ દિવસના ચીનના પ્રવાસે ગયા છે. આ દરમિયાન તેમણે પોતાના સમકક્ષ ચીનના વિદેશ મંત્રી વાંગ યીની સાથે બેઠક કરી હતી, ત્યાર બાદ એક પ્રતિનિધિમંડલ સ્તરની બેઠક મળી હતી. બંને દેશોના સંબંધો ઝડપથી નવી ઊંચાઈ પર જઈ રહ્યા છે. આ અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકરે બીજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ ચિશાનની સાથે મુલાકાત કરી હતી.
