શ્રીનગરમાં આતંકી સંગઠન જૈશ-એ -મોહમ્મદના પાંચ આતંકવાદીઓની ધરપકડ
Live TV
-
આતંકીઓ પાસેથી મોટી માત્રમાં વિસ્ફોટકો મળી આવ્યા
પ્રજાસત્તાક દિવસ અગાઉ ગઇકાલે શ્રીનગરમાં આતંકી સંગઠન જૈશ-એ -મોહમ્મદના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે 5 આતંકવાદીઓ પાસેથી મોટીમાત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં સદરબદ હઝરતબલના એઝામ એહમદ શેખ, અસાદ કોલોની હઝરતબલનો ઉમર હમીદ શેખ, અને ઇમ્તીયાઝ એહમદ ચીકલા, ઇલાહીબાદ શોહરાનો શાહીલ ફારૂક કોઝી અને સદરબદ હઝરતબલનો નસીર એહમદ મીરનો સમાવેશ થાય છે
