સંરક્ષણમંત્રીએ પુણેમાં બેચ પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યુ
Live TV
-
સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે પુણેમાં રાષ્ટ્રીય રક્ષા એકેડમીના 137માં બેચ પાસિંગ આઉટ પરેડના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક મંચ પર આતંકવાદનો મુદ્દો ઉઠ્યા બાદ પાકિસ્તાન હવે એકલું પડી ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનના બદઇરાદાઓને સફળ થવા દવેમાં આવશે નહીં. સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સશસ્ત્ર સેના દેશની તાકાત છે. આ કાર્યક્રમમાં કેડેટસે પ્રભાવશાળી પરેડ રજૂ કરી હતી. જેનું સમાપન સુખોઇ લડાકુ વિમાનો અને સારંગ હેલીકોપટરોના ફ્લાઈ પાસ્ટ સાથે થયું હતું.
