સંસદના ચોમાસુ સત્રનો આજે 17મો દિવસ
Live TV
-
સંસદના ચોમાસુ સત્રનો આજે 17મો દિવસ: રાજ્યસભામાં આજે 'ટ્રિબ્યુનલ સુધારા વિધેયક 2026' વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ
સંસદની કાર્યવાહીમાં આજે રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ વિધેયક 'ટ્રિબ્યુનલ સુધારા વિધેયક 2026' વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. આ વિધેયકના માધ્યમથી દેશમાં 'રાષ્ટ્રીય ન્યાયાધિકરણ આયોગ'ની રચના કરવાનો મુખ્ય પ્રસ્તાવ છે, જેનો હેતુ ન્યાયાધિકરણોની કામકાજ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવાનો અને આયોગની નિમણૂકોમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે. ખાસ વાત એ છે કે આ વિધેયક અગાઉ સોમવારે જ લોકસભામાંથી પસાર થઈ ચૂક્યું છે.
'કરાધાર અને અન્ય વિધિયા સંશોધન વિધેયક 2026' પર ચર્ચા
આ ઉપરાંત, સંસદમાં નાણાકીય અને કાયદાકીય સુધારાઓની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. સોમવારે રાજ્યસભામાં 'કરાધાર અને અન્ય વિધિયા સંશોધન વિધેયક 2026' પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વિધેયકને સઘન ચર્ચા બાદ કોઈપણ પ્રકારના સુધારા વિના લોકસભાને પરત કરી દેવામાં આવ્યું છે.
આ સંશોધન વિધેયક દ્વારા દેશના મહત્વના નાણાકીય અને કરદાતા કાયદાઓમાં મોટા બદલાવ પ્રસ્તાવિત છે, જેમાં મુખ્યત્વે ચુકવણી અને પતાવટ પ્રણાલી અધિનિયમ, 2007, આવકવેરા અધિનિયમ, 2025, નાણા અધિનિયમ, 2026નો સમાવેશ થાય છે.
આ વિધેયકોના પસાર થવાથી દેશની નાણાકીય વ્યવસ્થા અને ન્યાયિક પ્રક્રિયાઓ વધુ સરળ, પારદર્શક અને આધુનિક બનશે તેવી અપેક્ષા છે.
