સંસદ પર થયેલ હુમલાને 20 વર્ષ પૂર્ણઃ 2001માં આજના દિવસે સંસદ પર 5 આતંકાવદીઓએ હુમલો કર્યો હતો
Live TV
-
સંસદ પર થયેલી આંતકવાદી હુમલાની આજે 20મી વરસી છે. દેશની સંસદની સુરક્ષામાં પોતાનું સર્વોચ્ચ બલીદાન આપનારા 9 શહીદોને આજે દેશ યાદ કરી રહ્યો છે. વર્ષ 2001માં આજનાં જ દિવસે દેશનાં લોકતંત્રના મંદિર સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો..પાકિસ્તાનનાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મહોમદે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.. આ હુમલામાં 5 આતંકવાદી સંસદમાં ધુસ્યા હતા પરંતુ સુરક્ષાકર્મીઓએ એક એક કરીને પાંચેય આતંકીઓને ઠાર કર્યા હતા..અંદાજે 45 મીનીટ સુધી સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલ્યું હતું..આ હુમલામાં સુરક્ષાકર્મી સહિત 9 લોકો શહીદ થયા હતા. આ હુમલાના આરોપી આતંકવાદી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
