સપા, બસપા અને આરએલડીએ રામપુર ખાતે જાહેર સભા સંબોધી
Live TV
-
સપા, બસપા અને આરએલડીએ રામપુર ખાતે જાહેર સભા સંબોધી હતી. રેલીને સંબોધતા બહુજન સમાજવાદીના સુપ્રિમો માયાવતીએ ગઠબધંનના ઉમેદવારની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પોતાની ખોટી નીતિઓના કારણે કોંગ્રેસ સત્તાથી દૂર છે. તો બીજી તરફ આજ સભામાં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે સપા ઉમેદવારની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે ભાજપનું અહીં ખાતુ પણ નહી ખુલે.
