સરકારે ડુંગળીની નિકાસ પર તત્કાળ પ્રભાવથી લગાવ્યો પ્રતિબંધ
Live TV
-
સ્થાનિક બજારોમાં ડુંગળીની ઉપલ્બધતા વધારવા અને કિંમતો પર કાબુ મેળવવા માટે સરકારે ઉઠાવ્યું આ પગલું
સરકારે તમામ પ્રકારની ડુંગળીની જાતની નિકાસ ઉપર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ મુક્યો છે. ધરેલુ બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને કિંમતો ઉપર કાબુ મેળવવા સરકારે આ પગલું ભર્યું છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે આ સબંધમાં એક આદેશ બહાર પાડયો છે. જે મુજબ તમામ જાતની ડુંગળી ઉપર તાત્કાલીક પ્રભાવથી નિકાસ અટકાવી છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય વાણીજ્ય વેપાર નું અંગ છે. જે આયાત- નિકાસ સબંધીત બાબતોને જુએ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ ભાગમાં આવેલ ભારે વરસાદથી ડુંગળીના પાકને ભારે નુકશાન થયું છે. જેના પગલે આંતરીક બજારમાં ડુંગળીની કિંમતો વધી ગઇ છે
