સરકારે 2015થી લગભગ બે હજાર અસંગત કાયદાઓ રદ કર્યા છે - ગૃહમંત્રી
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે 2015થી લગભગ બે હજાર અસંગત કાયદાઓ રદ કર્યા છે. ગઇકાલે નવી દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ અંગેના પ્રશિક્ષણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી કાયદાના ક્ષેત્રમાં વિવિધ પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કાયદાનો મુસદ્દો બનાવવોએ કોઈ વિજ્ઞાન કે કળા નથી, તે એક કૌશલ્ય છે જેને ભાવના સાથે અમલમાં મૂકવું જોઈએ. શાહે કહ્યું, કાયદો સ્પષ્ટ અને સરળ હોવો જોઈએ. તેમણે સંસદ અને રાજ્ય વિધાનસભાના અધિકારીઓને વિનંતી કરી કે, કાયદાનો મુસદ્દો સરળ અને સ્પષ્ટ શબ્દોમાં બનાવવો જોઈએ, જેથી વિવાદ ને સ્થાન ના રહે .
