સરકાર કરે છે પછાત વિસ્તારોમાં નાણાં પ્રવૃતિ- પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકારે આરંભથી જ નાણાં પ્રવૃત્તિ બાબતે ખાસ ભાર મૂક્યો છે. સરકાર ગરીબો અને પછાત વિસ્તારોમાં નાણાં પ્રવૃત્તિ માટે કાર્ય કરી રહી છે. પીએમએ જણાવ્યું કે, નાણાં પ્રવૃત્તિમાં બેન્ક ખાતા ખોલવા, નાણાંની લેવડ-દેવડ, સામાજિક સુરક્ષાની યોજનાઓ માટે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ બધી સુવિધાઓ મેળવવી સરળ બની છે. પીએમ મોદીએ હાલમાં જ શરૂ કરેલ ઇન્ડિયા પોસ્ટ બેન્ક પર ટ્વીટરના માધ્યમથી આપવામાં આવેલ શુભકામના સંદેશાંઓના જવાબમાં આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, દેશના છેવાડાના ગામોમાં રહેતા લોકોને ઇન્ડિયા પોસ્ટ બેન્કથી મોટો ફાયદો થશે.
