પ્રધાનમંત્રીનો નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓની સાથે સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓની સાથે સંવાદ કરશે. આવતીકાલે શિક્ષક દિવસ પર ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ શિક્ષકોને એક સમારોહમાં પુરસ્કાર વિતરણ કરશે. આ વર્ષે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક વિજેતાઓની પસંદગી માટે દિશા નિર્દેશોમાં પરિવર્તન કર્યું છે. નવા દિશા નિર્દેશોથી પુરસ્કાર વિજેતાઓની પસંદગી વધુ પારદર્શક બની છે. સાથે જ શિક્ષક દ્વારા શિક્ષણમાં નવી શોધ તેમજ સ્કૂલ અને વિદ્યાર્થીઓના વિકાસને પુરસ્કાર આપવાનો આધાર બનાવવામાં આવ્યો છે.
