સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે: મનસુખ માંડવિયા
Live TV
-
કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ખાતરી આપી હતી કે સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19 સંચાલન માટે ઉપયોગમાં લેવાય છે તે હવે ભારતમાં તેના પ્રોડક્શનમાં વધારો કર્યા પછી તેમજ આયાત વધાર્યા પછી ઉપલબ્ધ છે. આ દવાઓની ઉપલબ્ધતા પર ત્રણ સ્તરીય રણનીતિ-સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ, ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ અને અફોર્ડેબિલિટી દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
પ્રોટોકોલ અંતર્ગતની દવાઓઃ
1.રેમડેસિવીર
2.ઈનોક્સેપેરિન
3.મિથાઈલપ્રેડ્નીસોલોન
4.ડેક્સામેથાસોન
5.ટોસિલિઝુમેબ
6.આઈવરમેક્ટિનપ્રોટોકોલ બહારની દવાઓઃ
7.ફેવિપિરાવીર
8.એમ્ફોટેરાઈસીન
9.એપિક્સેમેબ
CDSCO અને NPPA પ્રોડક્શન વધારવા અને મે, 2021 માટે હાલના સ્ટોક, હાલની ક્ષમતા, પ્રોજેક્ટેડ પ્રોડક્શન અંગેનો ડેટા મેળવવા માટે ઉત્પાદકો સાથે સહયોગ સાધે છે.
