સુરક્ષાદળના જવાનોએ ત્રણ આતંકીને કર્યા ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેલ્લાર જંગલ વિસ્તારમાં મોડી રાતથી સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ત્રણ ત્રાસવાદી ઠાર મરાયા છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેલ્લાર જંગલ વિસ્તારમાં મોડી રાતથી સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ત્રણ ત્રાસવાદી ઠાર મરાયા છે. આશંકા સેવાઈ રહી છે કે, વિસ્તારમાં હજી પણ ત્રણથી ચાર આતંકી છૂપાયેલા છે. શોધખોળ અભિયાન ચાલુ છે. બીજી તરફ હંદવાડાના યારો વિસ્તારમાં પણ ત્રાસવાદી છુપાયા હોવાની બાતમી મળતાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈને શોધખોળ શરૂ કરી છે.
